પ્રાણીમાત્રને આ ચાર ઉત્તમ અંગો (જીવન વિકાસનાં વિભાગો) પ્રાપ્ત થવા આ સંસારમાં દુર્લભ છે.
૧. મનુષ્યત્વ
૨. શ્રુતિ (સત્ય શ્રવણ)
૩. શ્રદ્ધા (અડગ વિશ્વાસ)
૪. સંયમની શક્તિ
નોંધઃ મનુષ્યત્વ એટલે મનુષ્યજાતિનો વાસ્તવિક ધર્મ. મનુષ્યદેહ મળ્યા પછી પણ મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનું હોય જ છે.
મનુષ્યત્વનાં વાસ્તવિક ચાર અંગો છે.
૧. સહજ સૌમ્યતા
૨. સહજ કોમળતા
૩. અમત્સરતા(નિરાભિમાન પણું)
૪. અનુકંપા
આટલી સારાસારની વિચાર યોગ્યતા પછી જ સતવસ્તુઓનું શ્રવણ થાય. શ્રવણ થયા પછી જ સાચો વિશ્વાસ જાગે. વિશ્વાસ થાય એટલે અર્પણતા પ્રાપ્ત થાય અને આટલી અર્પણતા પછી જ ત્યાગ સંભવે.
source: ઉત્તરાધ્યાન સુત્રમાંથી. (ચાર અંગ સંબંધી ત્રીજું અધ્યયન)
Leave a comment